Om Bla Bla
Om Bla Bla

હરડે એક દિવ્ય ઔષધિ – રોજ હરડે નું સેવન કરસો તો ડોક્ટર કે વૈદ પાસે જવું નહિ પડે

રોજ હરડે નું સેવન કરસો તો ડોક્ટર કે વૈદ પાસે જવું નય પડે
હરડે આંતરડા માં ચોંટેલા જુના મળ ને દૂર કરી આંતરડા સાફ કરી આંતરડા ની કાર્યક્ષમતા વધારે છે. જેથી ખોરાક માં રહેલા પોષક તત્વો આંતરડા ની દીવાલો દ્વારા સારી રીતે શોષાય ને લોહી માં ભળે છે. તેમજ નકામા દ્રવ્યો ને શરીર ની બહાર કાઢે છે. આમ હરડે લેવાથી શમપૂર્ણ પાચનતંત્ર વ્યવસ્થિત કામ કરે છે. અને મોટાભાગ ના રોગો બગડેલા પાચનતંત્ર ને કારણે થતા હોય છે. અને દરરોજ હરડે નું સેવન કરનાર વ્યક્તિ ને રોગો થતા નથી. હરડે શરીર ના તમામ દોષો ને દૂર કરી મગજ ની ક્રિયાશીલતા વધારી યાદ શક્તિ વધારે છે. હરડે આંખો ની દ્રષ્ટિ ને તેજ બનાવે છે. જુદી જુદી રીતે હરડે લેવાથી શરીર ને અલગ અલગ રીતે ફાયદો કરે છે. હરડે ને ભોજન બાદ લેવાથી પાચન દરમ્યાન થયેલા કફ પિત્ત વાયુ ના દોષો ને દૂર કરે છે.જયારે ભૂખ્યા પેટે હરડે લેવાથી તે રેચક નું કામ કરે છે અને કબજિયાત દૂર કરે છે. અને આંતરડા ને તંદુરસ્ત રાખે છે.
હરડે ફળ ખૂબ જ ગુણકારી હોય છે ચાલો આપણે જોઈશું હરડે ના ફાયદા :-
* હરડે વાત પિત્ત અને કફ એટલે કે ત્રિદોષ નું શમન કરે છે. તે મૃદુ રેચક ઔષધિઓ તે જ કૃમિઘ્ન તથા તથા પૌષ્ટિક છે તેની અસર હૃદય, જઠર, આમાશય, મૂત્રાશય પર વધારે થાય
છે તેથી તે વધુ ગુણકારી છે.
* તેના સેવનથી શરૂઆતમાં પાતળો રેડ થાય છે પણ ધીરે ધીરે મળનું શોધન કરે મળને બાંધે છે એટલે શરૂઆતમાં રેચ થાય તો ગભરાવાની જરૂર નથી.
* દમ ખાંસી શ્વાસ સ્વ્રરભંગ કાકડાનો સોજો સળેખમ અને કફના રોગોમાં ખૂબ જ સારું કામ આપે છે .
* જૂની કબજિયાત. અજીર્ણ .આફરો  વગેરે રોગોને શાંત કરનારી છે. અને ભૂખને પ્રદીપ્ત કરે છે.
* જેને ભૂખ ન લાગતી હોય એ લોકો ખાસ હરડેેેેનું સેવન કરે.
* હરડે નવજાત શિશુ ને પણ મદદ રૂપ બની છે .નવજાત શિશુ ને આંખો પાર ભ્રમર નથી તો હરડે ને લોઢા પાર ઘસી ને સરસોના તેલ સાથે ભેળવીને નવજાત શિશુ ના ભ્રમર પાર
લગાડવું અને માલિશ કરવી .ધીમે ધીમે માલિશ કરતા રહેવાથી ભ્રમર ઉગવા લાગશે

About Author

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts